Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઇન્ડોનેશિયાએ CPO સહિત તમામ ખાદ્યતેલોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો

  • April 28, 2022 

ઇન્ડોનેશિયા તા. 28 એપ્રિલ એટલે આજથી તમામ ખાદ્યતેલોની નિકાસ પર પ્રતિબંધ મૂકવા મક્કમ છે અને તેની માટે નિકાસ પ્રતિબંધનો દાયરો વઘાર્યો છે. જ્યારે ત્રણ દિવસ અગાઉ જ તેણે નિકાસ પ્રતિબંધમાંથી ક્રૂડ પામતેલ અને આરબીડી પામોલિન તેલની બાકાત રાખવાની વાત કહી હતી જેને ફેરવી ટાળ્યું છે. ઇન્ડોનેશિયાનાં આર્થિક બાબતોના મંત્રી એરલંગા હાર્ટર્ટોએ બુધવારે જણાવ્યુ કે, નિકાસ પ્રતિબંધોમાં રો-મટિરિયલ, આરબીડી પામતેલ અને વપરાયેલા ખાદ્યતેલનો પણ સમાવેશ કરાયો છે. 


આમ, હવે ક્ડ પામતેલ, આબીડી પામોલિન તેલની નિકાસ પર પણ પ્રતિબંધ લાગુ થશે. નિકાસ પ્રતિબંધની નવી જાહેરાત બાદ કુઆલાલંપુર ખાતે પામતેલના જુલાઇ ડિલિવરી વાયદામાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે. ભારત પોતાની કુલ પામતેલ આયાતમાંથી 60 ટકા ઈન્ડોનેશિયા પાસેથી ખરીદે છે. પામતેલની આયાત પર પ્રતિબંધ મૂકાયાના અહેવાલ બાદ ખાદ્યતેલોના સ્થાનિક અને વૈશ્વિક ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application