Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પીએમ મોદીની સરકારના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતને 11મા સ્થાનેથી 5મા સ્થાને લાવવામાં આવ્યું : અમિત શાહ

  • May 31, 2024 

ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત ઐતિહાસિક જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ઇન્ડીગઠબંધન અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં અમિત શાહે કહ્યું હતું કે, ઈન્દિરાજીએ ગરીબી દૂર કરવાનું વચન આપ્યું હતું. 70 વર્ષ થઈ ગયા, મોદીજીએગરીબોને ઘર, ગેસ, વીજળી, શૌચાલય, દવાનો ખર્ચ અને પાંચ કિલો અનાજ આપ્યું. તેના બધા વચનો નિરર્થક રહ્યા. 2014 પહેલા આ દેશનું શાસન 10 વર્ષ સુધી અર્થશાસ્ત્રી વડાપ્રધાનના હાથમાં હતું. તેમણે દેશની અર્થવ્યવસ્થાને સ્થગિત સ્થિતિમાં મૂકીને વિશ્વમાં 11મા નંબર પર આવી ગયા. વડાપ્રધાન નરેન્દ્રમોદીની સરકારે તેને ત્યાંથી ઉપાડીને ભારતને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે. પીએમનરેન્દ્રમોદીની સરકારે આર્થિક સુધારા અને વિકાસનો પાયો નાખ્યો છે, જેના કારણે અમે અમારી સરકારના આગામી કાર્યકાળમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય ચોક્કસપણે પ્રાપ્ત કરીશું.


તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે તેના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશને દરેક મોરચે સંરચિત રીતે આગળ લઈ જવા માટે કામ કર્યું છે. તેમણે કહ્યું કે તેમની સરકાર 60 કરોડ ગરીબોને દર મહિને ઘર, વીજળી, પાણી, શૌચાલય, મફત તબીબી સુવિધાઓ, 5 કિલો અનાજ અને મફત ગેસ સિલિન્ડર પ્રદાન કરનાર પ્રથમ છે. પહેલા આ લોકો પોતાને દેશના વિકાસના પ્રવાહથી કપાયેલા જણાતા હતા, પરંતુ આજે આઝાદી પછી પહેલીવાર તેમને લાગે છે કે આ દેશની કોઈપણ સરકારને તેમની ચિંતા છે. નરેન્દ્ર મોદી સરકારે આ દેશની સેનાઓને આધુનિક બનાવવાનું અને સ્વદેશી રીતે આત્મનિર્ભર બનાવવાનું કામ કર્યું છે. દેશની તમામ સરકારી બેંકો જે એક સમયે એનપીએના કારણે દેવામાં ડૂબી ગઈ હતી તે આજે શ્રેષ્ઠ નફો કમાઈ રહી છે.


એક સમયે દેશના શેરબજારમાં માત્ર 2.20 કરોડ લોકો જ વેપાર કરતા હતા, આજે 15 કરોડ ડીમેટ ખાતા દ્વારા લોકો તેમાં ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ કહ્યું હતું કે જ્યારે પણ દેશમાં ગરમી વધે છે ત્યારે તેઓ રજા પર જતા રહે છે. રાહુલ ગાંધી મતગણતરી સુધી ખોટું બોલશે અને પછી રજા પર જશે. રજા પરથી પાછા ફર્યા પછી ફરીથી કેટલાક જુઠ્ઠાણા મળશે. કોંગ્રેસના 400 ને પાર કરવાના અને બંધારણ બદલવાના આરોપ પર શાહે કહ્યું કે, આ માટે 400 ને પાર કરવાની જરૂર નથી. કોંગ્રેસે અનામત લૂંટવાનું કામ કર્યું છે. અગ્નિવીર યોજનાનું પાનું ફાડીને ફેંકી દેવાના રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે એ કહ્યું કે તેમની સાથે સમસ્યા એ છે કે તેઓ અડધાથી વધુ પાના વાંચી શકતા નથી. તેને આ આખી યોજના સમજાઈ નથી. અગ્નવીર યોજના સેનાના જવાનોની સરેરાશ ઉંમર ઘટાડવા માટે છે.


ઉદાહરણ તરીકે, ધારો કે યોજના હેઠળ 100 અગ્નિવીરની ભરતી કરવામાં આવે છે, તો તેમાંથી 25 નિયમિત સેનામાં જોડાશે. બાકીના75 માટે, કેન્દ્રીયઅર્ધલશ્કરી દળો અને તમામ ભાજપ શાસિત રાજ્ય સરકારોએ તેમના માટે પોલીસમાં અનામત રાખ્યું છે. અગ્નિવીરને અન્ય અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. આ કોંગ્રેસના લોકો જુઠ્ઠું બોલવા ટેવાયેલા છે અને તેઓ વારંવાર જૂઠ બોલે છે. અબકી બાર ચારસો પાર એ માત્ર ભાજપનોનારો નથી, આપણા દેશે 30 વર્ષ સુધી અસ્થિર સરકારના કારણે અનેક સમસ્યાનો સામનો કર્યો છે.


આ 30 વર્ષ દેશના સૌથી ખરાબ હતા. ત્યારબાદ પણ અટલ જીએખુબ સારી રીતે કામ કર્યું પરંતુ યુપીએ સરકાર આવી તો 10 વર્ષ સુધી તેમાં ભારત દુનિયાની રેસમાં ખુબ પાછળ ચાલી રહ્યું હતુ.  કોઈ પણ પાર્ટી કોઈ પણ ગઠબંધન પોતાના લક્ષ્ય નીચે રાખે કે ઉપર, એક જમાનામાં કોંગ્રેસે પણ 400 પાર કર્યું હતુ પરંતુ ભાજપ પાસે કોઈને ખતમ કરવાની માનસિકતા નથી. અમે આગળ વધવા માંગીએ છીએ, આનો મતલબ કોઈને ખતમ કરવાનો નથી, પણ પીએમમોદીનાશાંસનમાં દેશને હજી વધુ મજબૂત અને પ્રગતિશીલ બનાવવાનો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News