Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા મૈયા બ્રીજનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને હસ્તે થનાર ઉદઘાટન, કાર્યક્રમ સંદર્ભે બેઠક યોજાઈ

  • July 09, 2021 

આગામી તા.૧૨મી જુલાઈ-૨૦૨૧ ને સોમવારના રોજ અંદાજે ૪૦૦ કરોડથી વધુ ખર્ચથી તૈયાર થયેલ “નર્મદા મૈયા બ્રીજ”નું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઉદઘાટન થનાર છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.

 

 

 

 

આ બેઠકમાં કલેક્ટરએ સભા, સ્ટેજ, મંડપ, ડાયસ પ્લાન વિગેરે વ્યવસ્થા બાબતે સબંધિત અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન આપી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટરએ કાર્યક્રમનું સુંદર આયોજન થાય તે જોવા સૂચન કર્યું હતું.  નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીએન.આર.પ્રજાપતિ, માર્ગ-મકાનના અધિકારી અનિલ વસાવા, ટ્રેની પોલીસ અધિકારી વિગેરે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application