Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક અને તુફાન વચ્ચેના અકસ્માતમા બે’ના મોત, ત્રણને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં

  • August 10, 2024 

સુરત શહેરના હજીરા રોડ પર મોડી રાત્રે કંપનીમાંથી ઘરે જતી વખતે ઉભેલી ટ્રક સાથે તુફાન ગાડી જોરદાર ધડાકા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈજા પામેલા ડ્રાઇવર સહિત બે વ્યક્તિના મોત નીપજયા હતા. જ્યારે ત્રણ કામદારોને નાની મોટી ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. નવી સિવિલથી મળેલી વિગત મુજબ, હજીરા રોડ પર મોરા ટેકરા ખાતે રહેતા ૪૮ વર્ષીય ઇન્દ્રદેવ આત્મારામ યાદવ બુધવારે મોડી રાતે હજીરાની એલ એન્ડ ટી કંપની માંથી ચાર જેટલા કામદારોને તુફાન ફોર વ્હિલ ગાડીમાં કેબીનમાં સાવન હરીશચંન્દ્ર રાજભર (ઉ.વ.૨૯) તથા પાછળ ઉમેશ જયલાલ યાદવ (ઉ.વ.૨૪), વિનોદ અને રફીકને (તમામ રહે- મોરા ટેકરા) બેસાડીને ઘરે આવવા નીકળ્યા હતા.


તે સમયે હજીરા રોડ પર ક્રેન એનર્જી કંપની પાસે ઊભેલી ટ્રકની પાછળ તેમની ફોર વ્હિલ ગાડી જોરદાર ધડાકા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજા પામેલા ડ્રાઇવર ઇન્દ્રદેવ તથા સાવન થઇ હતી. જયારે ત્રણને નાની મોટી ઇજા થઇ હતી. જેથી પાંચને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે ઇન્દ્રદેવ અને સાવનને મૃત જાહેર કર્યા હતા. જયારે ઉમેશને વધુ સારવાર માટે દાખલ કર્યો હોવાનું જાણવા મળે છે. જયારે ઇન્દ્રદેવ અને સાવન મુળ ઉતરપ્રદેશના વતની હતા. જયારે સાવનને સંતાનમાં એક પુત્ર છે. જયારે તે એલ એન્ડ ટી કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. જયારે ઇજા પામેલા ૩ કામદારો પણ કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા હોવાનું પોલીસે કહ્યુ હતું. ઘટના અંગે હજીરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application