Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરમાં ફાયર વિભાગ દ્વારા ફાયરની એનઓસી વગરની દુકાનો સામે કાર્યવાહી કરાઈ

  • July 11, 2024 

તાપી જિલ્લાનાં વ્યારા મથકે ફાયર વિભાગ દ્વારાના ફાયરની એનઓસી વગરની દુકાનો સામે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ત્રણ દિવસ પહેલા વ્યારા છોટાલાલ ટાવર અને અંજલિ ચેમ્બર્સમાં કુલ 45 દુકાનો પોલીસને સાથે રાખી ફાયર ઓફિસર દિગ્વિજયસિંહ ગઢવી અને ટીમે સીલ કરી હતી. જયારે મંગળવારનાં રોજ વ્યારા જુના બસ સ્ટેન્ડ સ્થિત ડીએનસી માર્કેટની 26 અને કાનપુરા કબૂતર ખાના પાસે બીગ બજારમાં આવેલી 72 મળી કુલ 98 દુકાનોને નોટિસ આપી સીલ કરવામાં આવી હતી.


જોકે દુકાનો સીલ થતા ભાડે રાખી ધંધો કરતા નાના વેપારી, ધંધાદારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. જેથી અગાઉ સીલ કરેલી દુકાનોના માલિકો દ્વારા ફાયર વિભાગમાં લેખિત રજુઆત કરી આગનાં ઉપકરણો મુકવાની બાંહેધરી આપવામાં આવતા અંજલિ ચેમ્બર્સ અને છોટાલાલ ટાવરની દુકાનો ખોલવામાં આવી છે. ધંધાકીય એકમો ધરાવતા લોકોમાં થઈ રહેલી ચર્ચા મુજબ પાલિકા તંત્ર દ્વારા દુકાનદારોને સરકારના સહયોગથી રાહતમાં આગના ઉપકરણો લગાવી આપવા અંગે કોઈ કાર્યવાહી થવી જોઈએ, સ્થાનિક એજન્સી ન હોવાથી બહારથી આવતી એજન્સીઓ વધુ નાણાં ખંખેરી ન જાય તેનો પર ડર સતાવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application