Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરમાં ફાયર સેફટી મુદ્દે બેદરકારી ધરાવનાર દુકાનોને સીલ કરાયા

  • July 06, 2024 

વ્યારા નગરમાં ફાયર સેફટી મુદ્દે બેદરકારી ધરાવનાર કોમ્પ્લેક્ષો, મોલ વિગેરેની ચકાસણી શરૂ થતાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી વિનાના અંજલિ ચેમ્બર્સ કોમ્પલેક્ષ તેમજ છોટાલાલ ટાવરની દુકાનોને સીલ કરી હતી. વ્યારા નગરમાં ફાયર સેફટીનાં અભાવવાળાં સ્થળોએ આવેલ દુકાનો સીલ કરવાની કામગીરીનો પ્રારંભ ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આગ જેવી આકસ્મિક દુર્ઘટનાને પહોંચી વળવા કોમ્પ્લેક્ષો, મોલ કે દુકાનોમાં ફાયર સેફટીના સાધનોની આવશ્યકતા હોય છે, પરંતુ જે સુવિધા ન ધરાવતા સ્થળોની ચકાસણી હાલમાં ફાયર વિભાગે શરૂ કરી છે. જયારે અંજલિ ચેમ્બર્સ કોમ્પ્લેક્ષ અને છોટાલાલ ટાવર સહિતની દુકાનોને સીલ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા ત્રણ વખત નોટીશ આપ્યા બાદ કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું હતું. ફાયર સેફટીના સાધનોની સુવિધા ન ધરાવનાર દુકાનદારોમાં વ્યારા નગરમાં ફડફડાટ વ્યાપી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application