Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં સોમવારે કોરોનાથી વધુ ૧ દર્દીનું મોત નિપજ્યું, હાલ ૩ કેસ એક્ટિવ

  • June 28, 2021 

તાપી જિલ્લાના સાતેય તાલુકાઓમાં સોમવારે કોરોના પોઝીટીવ દર્દીનો એકપણ નવો કેસ સામે આવ્યો નથી. જોકે કોરોનાથી વધુ ૧ દર્દીનું મોત નિપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. જીલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૬૫૯ સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ ૩ કેસ એક્ટિવ છે.

 

 

 

 

 

વાલોડના કહેર ગામના સરદાર ફળીયામાં ૮૦ વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત 

જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવના કુલ ૩૮૮૨ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૭૫૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે.વાલોડના કહેર ગામના સરદાર ફળીયામાં ૮૦ વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત નિપજ્યું હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૫ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૨ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૭ દર્દીઓના મોત નિપજ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application