Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજસ્થાનનાં જહાઝપુર શહેરમાં યાત્રા પર પથ્થરમારો થતાં વાતાવરણ ગરમાયું, અચાનક થયેલ પથ્થરમારાનાં કારણે નાસભાગ મચી

  • September 15, 2024 

રાજસ્થાનનાં શાહપુરા જિલ્લાનાં જહાઝપુર શહેરમાં જલઝુલાની એકાદશી પર એક યાત્રા પર પથ્થરમારો થતાં વાતાવરણ ગરમાયું હતું. અચાનક થયેલ પથ્થરમારાના કારણે નાસભાગ મચી જતા બજાર બંધ થયું હતું. તેવામાં યાત્રા પણ રોકી દેવામાં આવી હતી. બીજી તરફ મોટી સંખ્યામાં એકઠા થયેલા ટોળાએ પથ્થરમારો કરનારા અન્ય સમુદાયના લોકોની ધરપકડની માંગને લઈને હોબાળો મચાવ્યો હતો. ઘટના સ્થળે ભાજપના ધારાસભ્યો પહોંચી ગયા હતા. આ દરમિયાન જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી યાત્રા ન કાઢવા જણાવ્યું હતું.


ઘટનાને લઈને નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, ‘શહેરમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે શહેરમાં હાલ શાંતિ છે. પથ્થરમારો કરનારાઓની શોધખોળ ચાલી રહી છે’ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જેવી યાત્રા બજારમાં પહોંચી ત્યારે કેટલાક લોકોએ બૂમો પાડી કે તેને રોકો અને પછી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં લગભગ 20-25 મિનિટ સુધી પથ્થરમારો ચાલુ રહેતા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અગાઉ બિહારનાં નાલંદામાં પોલીસ ટીમ પર હુમલાની ઘટના બની હતી. તાજેતરમાં ચેરો ઓપી પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે, ચેરો ગામમાં દારૂનો ધંધો ચાલી રહ્યો છે. આ પછી પોલીસની ટીમ ગામમાં પહોંચીને દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. જેમાં ગામના કેટલાક અસામાજિક તત્ત્વોએ અચાનક પોલીસ પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application