Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પીપળકુવા ગામે ઘરેથી દાતરડું લઇ ખેતરે ચારો લેવા જવાનું કહી વૃધ્ધા ગુમ

  • April 04, 2023 

સોનગઢના પીપળકુવા ગામની ૫૭ વર્ષીય વૃધ્ધા થઇ હોવાની ગુમ જાણવા જોગ ફરિયાદ ઉકાઈ પોલીસ મથકે નોંધવા પામી છે.


મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના પીપળકુવા ગામના બંધારી ફળીયામાં રહેતી ૫૭ વર્ષીય વૃધ્ધા બાબલીબેન ગુમાનભાઈ ગામીત, ગત તા.૨૭/૦૩/૨૦૨૩ નારોજ સવારના આશરે નવેક વાગેના સુમારે પોતાના ઘરેથી દાતરડું લઇ ખેતરે ચારો લેવા જાઉ છું, તેમ કહી કશે ચાલી ગયેલ હોય, બનાવ અંગે ગુમાનભાઈ ખાલ્પાભાઈ ગામીતે ઉકાઈ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા તા.૦૨/૦૪/૨૦૨૩ નારોજ ગુમ જાણવા જોગ બનાવ દાખલ કરી નિયમોનુસારની કામગીરી હાથ ધરી હતી.


ગુમ થનાર બાબલીબેન ગામીત,જે રંગે ઘઉંવર્ણ તેમજ મોઢું લંબગોળ છે. જેની ઉંચાઈ આશરે પાંચ ફૂટ બે ઇંચ જેટલી છે. જે ગુજરાતી અને આદિવાસી ગામીત ભાષા બોલે છે. જે કોઈને ગુમ થનાર વૃધ્ધા નજરે પડે તો ઉકાઈ પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર ૦૨૬૨૪-૨૩૩૨૩૬ પર જાણ કરવી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application