Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાના તાતીથૈયા ગામે ગટરનું ગંદુ પાણી બોરવેલમાં ભળતા 40થી વધુ લોકો બીમાર થતા આરોગ્ય તંત્રમાં દોડતું થયું

  • October 11, 2021 

સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ખાતે આવેલા પ્રથમ પાર્કમાં ચાચાની બિલ્ડિંગમાં ડ્રેનેજની પાઇપ લાઇન લીકેજ થતા ગયા ગંદુ પાણી  મીઠા પાણીના બોરવેલમાં ભેગું થઈ ગયું હતું જેને લઈ બોરવેલનું પાણી દૂષિત થયુ હતું અને આ પાણી બિલ્ડિંગના રહેતા 40થી વધુ પરિવારોએ આ પાણી ઉપયોગમાં લેતા 40 જેટલા લોકો બીમાર પડ્યા હતા અને ઝાડા ઉલટીનો વાવર શરૂ થઈ ગયો હતો. જેમાં 15 જેટલા વ્યક્તિઓને સારવાર માટે પલસાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અન્ય 25 જેટલા સુરતની નવી સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં તેમજ અલગ-અલગ જગ્યાએ સારવાર માટે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે જાણ થતાં પલસાણા આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીના પીવાનો બોરવેલ સીઝ કર્યો હતો તેમજ ક્લોરીનેશનની કામગીરી હાથ ધરી અને સર્વેની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. જયારે આ બિલ્ડીંગની આસપાસની બિલ્ડીંગોને પણ ગંદકીને લઈ નોટિસ ફટકારવામાં આવી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application