Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરમાં બિનઅધીકૃત લોકોને નાતાલની પરવાનગી ન આપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યુ

  • December 22, 2020 

નિઝર તાલુકામાં રાષ્ટ્રીય જનજાતિ મંચ દ્વારા બિનઅધીકૃત લોકોને નાતાલની પરવાનગી ન આપવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

 

મામલતદારને આજરોજ આપવામાં આવેલ આવેદનપત્ર અનુસાર ગુજરાતના જનજાતિ વિસ્તારોમાં ગુજરાત ધર્માંતર અધિનિયમનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે ગુજરાતના અત્યાર સુધીમાં સરકારશ્રીના રજીસ્ટરમાં ખ્રિસ્તીધર્મ  અપનાવનારાઓની વસ્તી ના હોવા છતાં નાતાલના નામે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ રહી છે એવું જણાઈ રહ્યું છે. જો ખ્રિસ્તી ધર્મના અનુયાયીજ ન હોય તો આટલા બધા ચર્ચો ક્યાંથી આવ્યા જો ખરેખર ખ્રીસ્તિધર્મનું પાલન કરતા હોય તો તેમના પ્રમાણપત્રો ખ્રિસ્તી ધર્મનો ઊલ્લેખ કેમ કરવામાં આવતો નથી

 

 

 

હિંદુ ધર્મનો શક્તિઉપાસના પર્વ નવરાત્રી ન ઉજવી શકતા હોય તો વિદેશી ખ્રિસ્તી ધર્મના નાતાલ પર્વને પરવાનગી કેવી રીતે આપી શકાય.

 

 

 

ખ્રિસ્તી ધર્મના નામે થતા નાતાલના કાર્યક્રમોને પરવાનગી આપવામાં ન આવે જો પરવાનગી આપવામાં આવે તો તેમની પાસે ખ્રિસ્તી હોવાનું પ્રમાણપત્ર માંગવામાં આવે સાથે ચર્ચમાં જનાર દરેક વ્યક્તિ પાસે ખ્રિસ્તી હોવાનો દાખલો માંગવામાં આવે આ અંગે યોગ્ય પગલા ભરવામાં નહિ આવે તો આવનાર દિવસોમાં રાષ્ટ્રીય વિરોધી પ્રવૃતિને વેગ મળશે જેની જવાબદારી તંત્રની રહશે તેમ જણાવવામાં આવ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application