Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીની જમાલપોર, દશેરા ટેકરી અને કાગદીવાડ પ્રાથિમક શાળામાં સચિવએ બાલવાટિકા અને ધોરણ-૧માં બાળકોનું નામાંકન કરાવ્યું

  • June 13, 2023 

માહિતી વિભાગ દ્વારા નવસારી, સમગ્ર રાજયમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩નાં પ્રારંભે તા.૧૨મી જુનના નવસારીની જમાલપોર પ્રાથિમક શાળા ખાતે નિર્મલ ગુજરાત અને હાઉસીંગ બોર્ડ ગાંધીનગરના સચિવ આર.જી.ગોહિલની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ સમિતિના અધ્યક્ષ અજયભાઇ દેસાઇ તેમજ નવસારી પ્રાંત અધિકારી આર.આર.બોરડે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અન્વયે શિક્ષકો/વાલીઓને માહિતગાર કર્યા હતાં. કાર્યક્રમના પ્રારંભમાં સચિવ ગોહિલ સહિત મહાનુભાવોએ બાળકોને દફતર કીટ, કંપાસ બોકસ આપી નામાંકન કરાવ્યું હતું.


કાર્યક્રમ બાદ શાળાના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના આરોગ્યની તપાસણી કરી હતી. નવસારીની જમાલપોર પ્રાથિમક શાળામાં બાલવાટિકા અને ધોરણ-૧ માં કુલ-૩૨ બાળકો, દશેરા ટેકરી, નગરપ્રાથમિક મિશ્રશાળા નં-૧૦મા કુલ-૨૨ બાળકો અને કાગદીવાડ, નગર પ્રાથમિક મિશ્રશાળા નં-૯માં કુલ-૪૦ બાળકોને કુમકુમ તિલક કરી મહાનુભાવોને હસ્તે નામાંકન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર અગ્રણીઓ, શિક્ષકમિત્રો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application