Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 1થી 8ના સમયમાં ફેરફાર થતા વાલીઓમાં રોષ

  • March 21, 2024 

ગાંધીનગરમાં આવેલી સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. નવા સત્રમાં ધોરણ 1થી 8ના સમયમાં ફેરફાર થતા વાલીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. વાલીઓ દ્વારા શાળાનો સમય બપોરનો ન રાખીને સવારનો જ રાખવા માગ કરવામાં આવી છે. ગાંધીનગરની સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલનો અત્યાર સુધી સમય સવારનો હતો. જો કે હવે નવા સત્રથી ધોરણ 1થી 8ના શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શાળાનો સમય બપોરનો કરી દેવામાં આવ્યો છે. જેના પગલે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શાળાના આ નિર્ણય સામે વાલીઓએ વિરોધ દર્શાવ્યો હતો. સમય ફેરફારને લઇ મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ પાસે એકત્ર થયા હતા. વાલીઓનો આક્ષેપ છે કે અંગ્રેજી માધ્યમમાં લોકોને સાચવવા સ્કૂલનો સમય બદલ્યો છે. ધર્મના નામે શિક્ષણનો પણ વેપાર કરતા હોવાનો પણ આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ગૃહકાર્ય માટે શિક્ષકો વાલીઓને મન-મરજીથી ફોન કરતા હોવાનું પણ વાલીઓએ જણાવ્યુ હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application