Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દ્વારકાનાં ધારાગઢમાં એક જ પરિવારનાં ચાર સભ્યોનાં મૃતદેહ મળી આવતા હડકંપ મચી, પોલીસે તપાસનો દોર શરૂ કર્યો

  • July 10, 2024 

દ્વારકાના ધારાગઢમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો હતો. આશંકા છે કે, પરિજનોએ એકસાથે જીવન ટૂંકાવ્યું છે. મૂળ જામનગરમાં એક જ પરિવારના ચાર સભ્યોએ દ્વારકનામાં ગામમાં સૂમસામ જાગ્યાએ જઈને ઝેરી દવા ગટગટાવી હતી. ચારેયનો મૃતદેહ મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનોમાં ચકચાર મચી હતી. એકસાથે આપઘાત કરવા પાછળ હજુ સુધી કોઈ જ કારણ સામે આવ્યું નથી. આ દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસ અનુસાર તમામ મૃતકો હાલ જામનગરમાં રહેતા હતા પરંતુ મૂળ લાલપુર તાલુકાના વતની હતા. ઘટના સ્થળેથી એક્ટીવા અને બાઇક પણ મળી આવ્યું છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં પરિજનોના સગા-સંબંધી હોસ્પિટલ દોડી આવ્યા હતા. ધુંવા પરિવારે આટલું મોટું શા માટે ભર્યું તેના કારણો જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News