Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચૂંટણી પંચની જાહેરાત સાથે સુરતમાં આચાર સંહિતાનો અમલ, સરકારી યોજનાનાં બેનર અને હોર્ડિગ્સ દુર કરવાની કામગીરી શરૂ

  • November 04, 2022 

ગુજરાત સહિત સમગ્ર દેશનું ધ્યાન ખેંચનારી ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત સાથે સુરતમાં આચાર સંહિતાનો અમલની પણ શરૂઆત થઈ ગઈ છે. ચુંટણી પંચની જાહેરાત સાથે જ સુરતના રસ્તા, સર્કલ અને પર લગાવવામાં આવેલા સરકારી યોજનાના બેનર-હોર્ડિગ્સ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા માટે તારીખ 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરનાં રોજ બે તબક્કામાં મતદાન અને તા.8 ડિસેમ્બરનાં રોજ પરિણામ માટેની તારીખ જાહેર કરવા માટેની પત્રકાર પરિષદ કરી હતી.




છેલ્લા કેટલાક દિવસથી સુરતના રસ્તાઓ, સર્કલ અને અનેક હોર્ડિગ્સ પર સરકારી જાહેરાત હતી. શહેરમાં સરકારી યોજનાના જાહેરાતના સંખ્યાબંધ હોર્ડિંગ્સ લાગ્યા હતા. આચાર સંહિતા પ્રમાણે આ પ્રકારના તમામ હોર્ડિગ્સ અને બેનર કાઢવાના હોય તંત્ર દ્વારા જાહેરાતની સાથે જ બેનર-હોર્ડિંગ્સ ઉતારવા માટેની ટીમ રવાના કરી દીધી હતી. શહેરના રસ્તા પર ટેમ્પો અને લારીઓ સાથેની આ ટીમે એક પછી એખ તમામ જગ્યાએથી બેનર-હોર્ડિગ્સ કાઢવાનું શરૂ કરી દીધું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application