Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોંડલમાં અક્ષરમંદિરમાં આવેલા પ્રવાસી અને વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર

  • March 21, 2024 

રાજ્યમાં કેટલીક વાર ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટના ગોંડલમાં અક્ષરમંદિરમાં આવેલા પ્રવાસી અને વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરે સવારે કુલ 60 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળે છે. જેમાંથી સ્વામિનારાયણ ગુરૂકુળના 30 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. વિદ્યાર્થીઓને ગુરૂકુળ કેમ્પસમાં સારવાર આપવામાં આવી હતી. 30 જેટલા પ્રવાસીઓને પણ થઈ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળે છે. આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગ થયુ હતુ. તમામ લોકોને 108 મારફતે તમામ પ્રવાસીઓને વીરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તમામ લોકોની તબિયત સુધારા પર જોવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application