Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી-સેલવાસ રોડ પર સુલપડ ભડકમોરાથી માનવ મિલન મંદિર સુધીનાં માર્ગ પરનાં ગેરકાદેસરનાં દબાણો દુર કરાયા

  • May 19, 2023 

વાપીનાં સુલપડ-ભડકમોરામાં રોડ માર્જિનમાં આવતાં દબાણોને માલિકો દ્વારા સ્વૈચ્છિક દુર કરવામાં આવી રહ્યાં છે. જયારે પાલિકા દ્વારા બે દિવસમાં 40 જેટલા દબાણો દુર કરી 800 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી હતી. બનાવની વિગત એવી છે કે, વાપી-સેલવાસ રોડ પર સુલપડ ભડકમોરાથી માનવ મિલન મંદિર સુધીનાં માર્ગ પરના ગેરકાદેસરનાં દબાણો દૂર કરવાનું જી.આઇ.ડી.સી. વાપી સાથે સંયુકત મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરાયુ હતું. જે માટે વાપી પાલિકા અને જી.આઇ.ડી.સી. દ્વારા આ માર્ગ પર રસ્તા પૈકીના દબાણ અને રસ્તામાં માર્જીનની જગ્યામાં માર્કિંગ કરાયુ હતું.






જયારે દબાણકર્તા અને મૌખિક સૂચના આપીને દબાણ દૂર કરવા માટે જણાવ્યુ હતું. જેમાં પાલિકા પ્રમુખ, સી.ઓ., કારોબારી ચેરમેન સહિત પાલિકાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. રસ્તા પૈકીના 53 દબાણકર્તાઓના અંદાજિત 800 ચોરસ મીટર અને 40 જેટલા ખાનગી જમીન માલિકોના 650 ચોરસ મીટર દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. પાલિકા દ્વારા અગાઉથી આપેલી સુચના અન્વયે કેટલાક દબાણકર્તા ઓ દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application