Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમારા પૈસા 10 % વ્યાજ સાથે પાછા ન આપે તો તેને જીવતો ન રહેવા દઈએ

  • January 09, 2023 


કામરેજ તાલુકાના કઠોર ગામે આવેલ શિવ આસ્થા સોસાયટી રહેતાં રાજેશ વલ્લભભાઈ સવાણી ત્રણ વર્ષ પહેલાં ધ્રુવ પેલેસ એપાર્ટમેન્ટ,ડભોલી રોડ કતારગામ સુરત ખાતે રહેતાં હતાં ત્યારે એ જ સ્થળે રહેતાં અલ્પેશ અમરસિંહ સવાણી સાથે મિત્રતા બંધાઈ હતી.


રાજેશભાઈ ની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમણે ધંધા માટે અલ્પેશ સવાણી પાસે ઉછીના રૂપિયા માંગતા અલ્પેશ ભાઈ એ જે તે સમયે 6 લાખ રૂપિયા ની માતબર રકમ રાજેશભાઈ ને આપી હતી. જોકે તે સમયે કોરોના ના કારણે રાજેશભાઈ નો ધંધો પડી ભાંગતા તેઓ આર્થિક રીતે ઘણી મુશ્કેલીમાં આવી ગયા હતાં અને મિત્ર પાસે ઉછીની લીધેલી રોકડ રકમ પરત આપી શક્યા ન હતાં.


એપાર્ટમેન્ટમાં સાથે રહેતાં અલ્પેશભાઈ એ ઉછીની આપેલ રકમની અવાર નવાર ઉઘરાણી કરતાં તેઓ વતન રહેવા ચાલ્યા ગયા હતા. ગત થોડા સમય પહેલાં કઠોરની શિવ આસ્થા સોસાયટીમાં ભાડે રહેવા આવ્યા હતાં. આ અંગે ની જાણ અલ્પેશ ભાઈને થતાં તેઓ ગત 23-12-22 ના રોજ રાત્રી ના સમયે ચિરાગભાઈ ભાદાણી સાથે આવ્યાં હતાં.


અને ઘરમાં હાજર રાજેશભાઈની પત્ની ને કહ્યું કે તું હવે રાજેશ ની રાહ ન જોતી તે હવે ઘરે નથી આવવા નો. તે અમારા પૈસા 10 % વ્યાજ સાથે પાછા ન આપે તો તેને અમે જીવતો ન રહેવા દઈએ એવી ધમકી આપી બાદ માં તેઓ ચાલી ગયાં હતાં. જે અંગે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application