Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

NCERT દ્વારા રચાયેલ સમિતિમાં સર્વાનુમતે લેવાયો એક મોટો નિર્ણય : NCERTનાં પુસ્તકોમાં હવે INDIAનું નામ બદલીને 'ભારત' કરાશે

  • October 25, 2023 

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પુસ્તકોમાં હવે INDIAનું નામ બદલીને 'ભારત' કરવામાં આવશે. NCERT દ્વારા રચાયેલી સમિતિએ સર્વાનુમતે નિર્ણય લીધો છે. આ માટે NCERTએ 19 સભ્યોની રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી સમિતિ (NSTC)ની રચના કરવામાં આવી હતી. વિપક્ષી ગઠબંધને તેનું નામ બદલીને I.N.D.I.A. રાખ્યા બાદ આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે. હવે, ટૂંક સમયમાં NCERT પુસ્તકોમાં દરેક જગ્યાએથી INDIA શબ્દને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.



NCERT પેનલ સમક્ષ આને લગતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો. પેનલના સભ્યોમાંથી જણાવવામાં આવ્યુ હતું કે, આ દરખાસ્ત થોડા મહિના પહેલા જ કરવામાં આવી હતી જેને હવે સ્વીકારી લેવામાં આવી છે. આ ઉપરાંત સમિતિએ પ્રાચીન ઈતિહાસની જગ્યાએ શાસ્ત્રીય ઈતિહાસનો સમાવેશ કરવાની ભલામણ પણ કરી હતી. અભ્યાસક્રમમાં તમામ વિષયોમાં ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS) એટલે કે ઈન્ડિંયન નૉલેજ સિસ્ટમની શરુઆત પણ આ નવા ફેરફારનો એક ભાગ છે. આ સમિતિ તે 25 સમિતિઓમાંથી એક છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ અભ્યાસક્રમમાં ફેરફાર કરવા માટે કેન્દ્રીય સ્તરે NCERT સાથે કામ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application