Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હું માંસાહારી છું પણ મંદિરે માંસ ખાઈને નહોતો ગયો, ભાજપ બેકાર મુદ્દાને ઉઠાવે છે: પૂર્વ CM સિદ્ધારમૈયા

  • August 25, 2022 

તાજેતરમાં ગયામાં એક મંદિરમાં સીએમ નીતીશકુમારની સાથે મુસ્લીમ નેતાના પ્રવેશ બાદ મંદિરનું શુદ્ધિકરણ કરવાના વિવાદના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા માંસ ખાઈને મંદિરમાં ગયાનો આરોપ ભાજપ નેતાઓએ લગાવતા વિવાદ ઉભો થયો છે.આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ આરોપો ફગાવી કહ્યું હતું કે હું માંસાહારી છું,પણ મંદિરે માંસ ખાઈને નહોતો ગયો. શાકાહારી ભોજન કર્યું હતું. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓ પાસે બીજું કોઈ કામ નથી અને બેકાર મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે.




દેશની મોટી સમસ્યાઓની ધ્યાન ભટકાવવા ભાજપ આવી હરકત કરે છે. સિદ્ધારમૈયાએ દલીલ કરી હતી કે મારા માટે માંસ ખાઈ મંદિરે જવાનો કોઈ મુદ્દો નથી, કેટલીક જગ્યાએ તો દેવી-દેવતાઓને માંસનો ભોગ ધરાવાય છે. તેમણે કહ્યું હતું કે શું ભગવાને એવું કહ્યું છે માત્ર શાકાહારી ભોજન કરીને મંદિરે આવવું.હાલ દેશમાં ઘણા એવા મુદ્દાઓ છે જેના પર ચર્ચાઓ થવી જોઈએ પણ દરેક રાજનીતિ પાર્ટીઓ ધાર્મિક મુદ્દાઓને લઈને બયાન બાજી કરતા હોય છે ત્યારે ફરી એક વાર બીજેપી પાર્ટી પર પૂર્વ CM એ આરોપ લગાવ્યો છે કે બીજેપી દેશની મોટી સમસ્યાઓથી ધ્યાન ભટકાવવાનો પ્લાન બનાવીને બેઠી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application