Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લિંબાયતમાં પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા રાખી પતિઍ પેટમાં ચપ્પુ માર્યું

  • June 27, 2021 

લિંબાયત વિસ્તારમાં રહેતી પરિણીતાના ચારિત્ર્ય ઉપર પતિઍ શંકા રાખી રાત્રે ઝઘડો કરી પેટના ભાગે ચપ્પુના ઘા મારતા પરિણીતાને લોહાલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

 

 

 

 

 

લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ લિંબાયત ગીતાનગરમાં રહેતા રશ્મીબેન અનીલભાઈ રાઠોડ (ઉ.વ.૨૦) ઍ તેના પતિ અનીલ રાઠોડ સામે ફરિયાદ નોધાવી હતી.જેમાં જણાવ્યું હતું કે અનીલ  સાથે પ્રેમસંબંધ થતા બે વર્ષથી પિતાનું ઘર છોડી તેની સાથે પતિ-પત્નીની જેમ રહે છે. અને સંતાનમાં ઍક વર્ષની પુત્રી છે. અનીલે શરુઆતમાં છ મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ અવાર નવાર ચારીત્ર્ય ઉપર શંકા રાખી શારીરીક માનસીક ત્રાસ આપી મારઝુડ  કરતો હતો.અગાઉ ગત. તા ૨૪મીના રોજ રાત્રે  રશ્મીબેન તેમજ સાસુ- સસરા જમીને સુઈ ગયા હતા.

 

 

 

 

દરમ્યાન રાત્રે બે વાગ્યે અનીલ ઘરે આવ્યો હતો. અને રશ્મીબેનને ઉઠાવી તારો ફોન મને બતાવ મારે તારો ફોન જાવો છે તું કોના સાથે મોબાઈલ ફોન પર વાત કરે છે તેને અહી બોલાવ નહી તો હું તને જાનથી મારી નાખીશ તેમ કહી ગાળાગાળી કરવા લાગતા રશ્મીબેન ઉઠીને ઘરની બહાર નિકળી ગયા હતા. અનીલ પણ તેની પાછળ આવી ઘરની બહાર લોબીમાં આવી જોરજોરથી ગાળો બોલવા લાગ્યો હતો. રશ્મીબેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈને કમરના ભાગમાંથી ચપ્પુ કાઢી પેટના ભાગે ઍક ઘા માર્યો હતો. રશ્મીબેનને ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે રશ્મીબેનની ફરિયાદ લઈ તેના પતિ અનિલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application