Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Vyara : મોબાઈલ ફોન ઉપર પત્ની સાથે વાતચીત ન થતા પતિએ કરી આત્મહત્યા

  • May 23, 2021 

વ્યારાના નાનીચીખલી ગામે એક ઈસમે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે નોંધાયો છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર, તા.23મી મે રવિવાર નારોજ નાનીચીખલી ગામના યોગીનગર સોસાયટીના મકાન નબર-83માં રહેતો, 32 વર્ષીય હેમચંદ ભંવરલાલ મેઘવાલ (મૂળ.રાજસ્થાન) ની પત્ની બે ત્રણ દિવસથી મોબાઈલ ફોન ઉપર વાતચીત ન કરતી હોવાના કારણે પોતે ટેન્સનમાં આવી જઈ બાવળના ઝાડની ડાળી ઉપર ખાટલાની પટ્ટી વડે એક છેડો બાંધી બીજો છેડો વડે ગળે ફાંસો બનાવી ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

 

 

 

 

આ બનાવ અંગે ઇન્દ્રચંદ મેઘવાલની ફરિયાદના આધારે વ્યારા પોલીસે બનાવ નોંધી તપાસ હાથ ધરી હતી. (મનિષા સૂર્યવંશી-વ્યારા)      


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application