સુરતનાં પીપોદરા ખાતે પત્ની સાથે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ પતિને મનમાં લાગી આવતા તેણે એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો.
હાલ માંગરોળ તાલુકાના પીપોદરા ખાતે તાપી ફૂડ કંપનીની પાછળ આવેલી અભયભાઈની બિલ્ડિંગમાં ત્રીજા માળે રહેતા અને મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના બાલીચાઈના ૫૧ વર્ષીય અભિમન્યુ ગણપતને તેની પત્ની મોહિનીબેન સાથે રૂમની શિફ્ટિંગ કરવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે આ બાબતે અભિમન્યુભાઈને માઠું લાગી આવતા તેમણે એસિડ પી લીધું હતું. ત્યારબાદ અભિમન્યુભાઈને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરોએ અભિમન્યુભાઈને મૃત ઘોષિત કર્યા હતા. ઘટના અંગે કોસંબા પોલીસ મથકે જાણ કરવામાં આવતા હાલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application