અમદાવાદ-મહેસાણા હાઇવે પર અડાલજ ટોલટેક્સ નજીક એસ.ટી બસ ચાલકે રિક્ષાને અડફેટે લેતાં ભયાનક અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતથી રિક્ષામાં બેઠેલાં મુસાફરોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ સિવાય પોલીસે અકસ્માતની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ તરફનો રસ્તો અસ્થાયીરૂપે બંધ કર્યો છે.
અમદાવાદ-મહેસાણા હાઇવે પર અડાલજ ટોલટેક્સ પાસે એસ.ટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલો મુસાફર પડી ગયો અને બસના ટાયર બંને મુસાફરોને કચડીને આગળ વધી ગયાં. બસ નીચે કચડાવાથી મુસાફરનો દેહ ક્ષત વિક્ષત થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં 108 અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને આ ઘટના વિશે તપાસ હાથ ધરી હતી. અકસ્માતની ગંભીરતા અને મૃતદેહની હાલત જોતા પોલીસે અસ્થાયી રૂપે મહેસાણા અડાલજ ટોલટેક્સથી અમદાવાદ જતો રસ્તો અસ્થાયી રૂપે બંધ કરવો પડ્યો હતો. હાલ, પોલીસે મૃતકની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application