Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેહરાદુન સહીત પહાડોનાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

  • June 30, 2022 

હવામાન વિભાગે દેહરાદુન સહીત પહાડોમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે સામાન્યથી 9 દિવસ બાદ ઉત્તરાખંડમાં આવેલા ચોમાસાને કારણે છેલ્લા 2 દિવસોથી અનેક સ્થળો પર સતત અથવા તો થોડા વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે, પરંતુ પર્વતોમાં આફત સર્જાઈ છે. ખાસ કરીને પિથોરાગઢ અને બાગેશ્વરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. બાગેશ્વરમાં મંગળવાર બાદ બુધવારે પણ ખૂબ જ વરસાદ થયો પડ્યો હતો. થોડા કલાક વરસાદ બંધ રહ્યા બાદ સતત તેજ વરસાદના કારણે સરયૂ અને ગોમતી નદીઓમાં જળસ્તર જોખમની નિશાની નજીક છે.




નદી સરયુ ઘાટ પર ચઢી ગઈ છે તો ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. નદી નાળા તૂટવાને કારણે ડઝનબંધ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને જિલ્લામાં બે પુલ ધોવાઈ ગયા હોવાના અહેવાલ છે. ઘણા લોકોને ઘર છોડવા માટે પણન મજબૂર થયા છે. આ વખતે ચોમાસાને કેરળથી ઉત્તરાખંડ પહોંચવામાં લગભગ 1 મહિનાનો સમય લાગ્યો છે જ્યારે ગયા વર્ષે તે સામાન્ય એટલે કે, 20 જૂનથી એક અઠવાડિયા અગાઉ જ પહોંચી ગયું હતું.





ઝોનલ હવામાન કેન્દ્રના નિયામક વિક્રમ સિંહનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે, આગામી 3 દિવસ એટલે કે, 2 અને 3 જૂલાઈ સુધી દેહરાદુન, બાગેશ્વર, નૈનીતાલ, ચમોલી, પિથૌરાગઢમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટનો મતલબ થાય છે કે, આ વિસ્તારોમાં વરસાદના કારણે ભૂસ્ખલન અથવા પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. યાત્રીઓ માટે આ ખૂબ જ સતર્ક રહેવાની ચેતવણી છે. ખાસ કરીને યાત્રીઓએ પહાડો તરફ જતી વખતે હવામાનની અપડેટ્સ લઈને જ તૈયારી સાથે યોજના બનાવવી જોઈએ.




જોકે ગતરોજથી લઈને આજે ગુરુવાર સવાર સુધીની સ્થિતિ પર નજર કરીએ તો નૈનીતાલ જિલ્લામાં તાપમાનમાં ઘટાડો થવાને કારણે વાતાવરણ ખુશનુમા છે. પરંતુ ભારે વરસાદની ચેતવણી છે. રામનગર અને ભીમતાલમાં સારો વરસાદ થયો છે. ઉત્તરકાશીમાં શહેરના વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. અલ્મોડા અને રુદ્ર પ્રયાગ જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે. ચમોલીમાં બુધવારે બપોર બાદ અનેક સ્થળો પર મૂશળધાર વરસાદના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પર રસ્તા નજીકના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું.





સૈનવલી ગામમાં રસ્તાનું પાણી સીધું ઘરોમાં ઘૂસી જતાં બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબમાં પણ જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું.  કેદારનાથ યાત્રાના મુખ્ય સ્ટોપ ગૌરીકુંડમાં બે દિવસના ભારે વરસાદથી મુખ્ય બજારના રસ્તાઓ ભરાઈ ગયા હતા. યાત્રાળુઓની સાથે સ્થાનિક લોકો પણ પરેશાન થઈ હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News