Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર : 80થી વધુ લોકોનાં મોત, 100થી વધુ મકાનો જમીનદોસ્ત અને 350 જેટલાં મકાનોને નુકસાન

  • July 12, 2023 

હાલ દેશમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે જેમાં ચોમાસાએ આખા ઉત્તર ભારત પર જાણે કબ્જો જમાવી લીધો છે. જોકે ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં તો વરસાદ કેર બનીને વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ 80થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. આ લોકોના મૃત્યુ વરસાદ, પૂર, ભૂસ્ખલન જેવી ઘટનાઓની લપેટમાં આવવાને કારણે થયા છે. તેમાં માર્ગ અકસ્માતને કારણે થયા મૃત્યુ પણ સામેલ છે. માહિતી અનુસાર 470 જેટલાં પાલતું પશુઓ મૃત્યુ પામી ચૂક્યા છે. જ્યારે 100થી વધુ મકાનોના નામો નિશાન પણ મળી રહ્યા નથી. જોકે 350 જેટલાં મકાનોને નુકસાન થયું છે. જોકે 10 લોકોનો કોઈ અતોપતો નથી.



તેમજ 900 લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે જેમને બચાવવા માટે અભિયાન હાથ ધરાયું છે. ચંદ્રતાલથી સૈન્યના હેલિકોપ્ટરથી બીમાર અને વૃદ્ધ લોકોને સુરક્ષિત બચાવાયા હતા. ચંદ્રતાલમાં 350 જેટલાં લોકો હજુ ફસાયેલા છે. અત્યાર સુધી 1050 કરોડ રૂપિયાના નુકસાનનું આકલન કરી લેવાયું છે. જોકે નુકસાન ચાર હજાર કરોડથી વધારે થયું હોવાનું મનાય છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા તાજેતરના પૂર્વાનુમાન અનુસાર આગામી ત્રણ દિવસ એટલે કે શુક્રવાર સુધી હવામાન સ્વચ્છ રહેવાનું અનુમાન છે. તારીખ 15 જુલાઈથી ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું અનુમાન છે. તેનાથી વરસાદ થવાની શક્યતા વધી ગઈ છે. રાજ્યમાં ત્રણ નેશનલ હાઈવે સહિત 1299 રોડ પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News