Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સિક્કિમમાં ભારે હિમસ્ખલન : હિમસ્ખલન બાદ ગંગટોકથી નાથુલાને જોડતા જવાહરલાલ નહેરુ રોડ પર બચાવ કામગીરી શરૂ

  • April 04, 2023 

સિક્કિમનાં નાથુ લાના સરહદી વિસ્તારમાં ભારે હિમસ્ખલન થયુ હતુ. આ ઘટનામાં 6 પ્રવાસીઓનાં  મોત થયા છે અને 11 ઘાયલ થયા છે. લગભગ 80 પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળક સામેલ છે. હિમસ્ખલન બાદ ગંગટોકથી નાથુલાને જોડતા જવાહરલાલ નહેરુ રોડ પર બચાવ કામગીરી ચાલી રહી છે. બપોરે 12 વાગ્યાની આસપાસ હિમસ્ખલન થયું હતું. સિક્કિમ પોલીસના ઈન્સ્પેક્ટર જનરલ સોનમ તેનજિંગ ભૂટિયાએ જણાવ્યું કે, મૃતકોમાં ચાર પુરૂષ, એક મહિલા અને એક બાળક સામેલ છે.




તેમાંથી હજુ કોઈની ઓળખ થઈ શકી નથી. બરફમાં ફસાયેલા 22 પર્યટકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. રોડ પરથી બરફ હટાવ્યા બાદ 350 ફસાયેલા પર્યટકો અને 80 વાહનોને બચાવવામાં આવ્યા છે. હાલમાં સિક્કિમ પોલીસ, ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ સિક્કિમ, પ્રવાસન વિભાગના અધિકારીઓ અને વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News