Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના નેહરુ બ્રીજ પરથી આધેડે છલાંગ લગાવી આપઘાત કર્યો

  • March 27, 2021 

સુરત વિસ્તારના ભાગળ ખાતે આવેલ બુંદેલવાડમાં રહેતા 50 વર્ષીય ઝાફરમિયાં ઉર્ફે મુન્ના હમઝામીયા શેખએ સાંજે ચોક બજારના નહેરુ બ્રીજ પર વોક-વે ની જાળી ઉપર ચઢી તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. આ ઘટના અંગે જાણ કરાતા રાંદેર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી ત્યાર બાદ આધેડનો મૃતદેહ તાપી નદીમાંથી બાહર કાઢવામાં આવ્યો હતો.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જાફર મિયા સવારે ઘરેથી નીકળી ગયા હતા બાદમાં કોઈ કારણસર ટેન્શનમાં આવી તેમણે નદીમાં ઝંપલાવ્યું હતું. ત્યારબાદ તેમનો મૃતદેહ બહાર કાઢ્યા બાદ તેમનો ફોટો પાડીને વોટ્સએપ ઉપર મોકલવામા આવ્યો હતો. જેના આધારે તેમના એક પરિચિતએ આ અંગે તેમના ભત્રીજાને જાણ કરવામાં આવી હતી અને પછી તેમની ઓળખ થઇ હતી.

 

 

 

પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે, ઝાફરમિયા પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા હતા અને હાલમાં તેઓ કાકા સાથે રહેતા હતા અને છૂટક મજૂરી કરતા હતા. જોકે તેમને કયા કારણ આ પગલું ભર્યુ તપાસ દરમિયાન સ્પષ્ટ થયું નથી. આ અંગે રાંદેર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application