Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત ઈલેક્શન : ભારતીય જનતા પાર્ટીના મહુવાના 300 સભ્યોના સામુહિક રાજીનામાં

  • November 10, 2022 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમની પ્રથમ ઉમેદવારોની યાદી જાહેરાત કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ 182 વિધાનસભાની સીટમાંથી 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ગુજરાતમાં ભાજપ દ્વારા રાત્રે જ કેટલાક ઉમેદવારોને ફોનમાં જાણકારી આપવામાં આવી હતી કે તેમની ટીકીટ ફાઇનલ થઇ ગઈ છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ કેટલાક નેતાઓને રિપીટ કર્યા છે તો કેટલીક બેઠક પર નવો જ પ્રયોગ કરીને નવા ચેહરાને ટીકીટ ફાળવવામાં આવી છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે 160 ઉમેદવારોની યાદી જાહેરાત કરતાની સાથે જ ભાવનગરમાં નારાજગી જોવા મળી હતી. ભારતીય જનતા પાર્ટીના ભાવનગરના 300 સભ્યોએ ભાજપમાંથી રાજીનામાં ધરી દીધા હતા. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંચાયતના તમામ સભ્યો અને જિલ્લા પંચાયતના તમામ સભ્યો ઉપરાંત મહુવા ભાજપ અને સંગઠનના સભ્યો સહીત અનેક કાર્યકરોએ સામુહિક રાજીનામાં આપી દીધા હતા.


ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરતા તેમાં શિવાભાઈ ગોહિલને ટીકીટ આપતા હોબાળો મચી ગયો હતો. ભારતીય જનતા પાર્ટીએ આર.સી મકવાણાની ટીકીટ કાપી નાખી હતી જેને પગલે મહુવાના 300 સભ્યોની નારાજગી સામે આવી હતી અને સામુહિક રાજીનામાં ધરી દીધા હતા. ભાવનગરમાં મહુવા ભાજપના અગેવાઓ અને કાર્યકરોના મત મુજબ શિવાભાઈ ગોહિલ દ્વારા ટીકીટની માંગ કરી ન હતી અને તેમને સમર્થન પણ નથી છતાંપણ ભારતીય જનતા પાર્ટીએ તેમને ટીકીટ આપતા ભાવનગર ભાજપમાં ભડકો થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News