Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આ રાજ્યમાં જે સરકારી કર્મચારીઓના બે અથવા ત્રણ સંતાનો હશે તેમને એડવાન્સમાં પગાર મળશે

  • May 14, 2023 

સિક્કિમ સરકાર રાજ્ય સરકારના કર્મચારીઓને પસંદ આવે તેવી સ્કીમ લાવી છે. હવે રાજ્યમાં જે સરકારી કર્મચારીઓના બે અથવા ત્રણ સંતાનો હશે તેમને એડવાન્સમાં પગાર મળી શકશે. સાથે જ આવા કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે રાજ્યની વસતીમાં વધારો કરવા માટે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.


રાજ્ય સરકારના નિર્ણયમાં કહેવાયું છે કે, આ વર્ષે એક જાન્યુઆરીથી જ પગારમાં વધારો કરવાનો તેમજ કર્મચારીઓને એડવાન્સ પગારની ચુકવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિક્કિમ સરકારના કાર્મિક વિભાગના સચિવ રિનજિંગ ચેવાંગ ભૂટિયાએ ગત 10 મેના રોજ પ્રસિદ્ધ કરેલા એક જાહેરનામામાં જણાવ્યું હતું કે, સિક્કિમનું સર્ટિફિકેટ અથવા ઓળખ પત્ર ધરાવતા તમામ સરકારી કર્મચારીઓને જો બે સંતાનો થાય તો તેના પગારમાં વધારો કરવામાં આવશે. સાથે જ જે સરકારી કર્મચારીને ત્રણ સંતાનો છે તેમના પગારમાં પણ વધારો કરાશે. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે રાજ્યમાં સ્થાનિક લોકો વચ્ચે પ્રજનનના દરને દૂર કરવા માટે રાહત આપવાનો વાયદો આપ્યો હતો. અને હવે આ વાયદાના લગભગ ચાર મહિના બાદ રાજ્ય સરકાર આ યોજનાને સામે લાવી છે.

1 જાન્યુઆરી, 2023થી યોજના લાગુ મનાશે


ભૂટિયાએ કહ્યું હતું કે, સરકારી કર્મચારીઓ માટે આ યોજના એક જાન્યુઆરી, 2023થી લાગુ ગણાશે અને માત્ર તેવા સરકારી કર્મચારીઓ જેમના બીજા અને ત્રીજા બાળકનો જન્મ આ વર્ષે એક જાન્યુઆરી અથવા તે બાદ થયો છે, તેઓ જ આ યોજનાનો લાભ મેળવવા માટે લાયક મનાશે. તેમણે સાથે જ આ સ્પષ્ટતા પણ કરી હતી કે, બાળકને દત્તક લેવાના કેસમાં આ યોજનાનો લાભ કર્મચારીઓ નહીં ઉઠાવી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application