Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા ખાતે લશ્કરી ભરતી અંગે મોટીવેશનલ વ્યાખ્યાન અને વિરોને વંદન કાર્યક્રમ યોજાયો

  • August 15, 2023 

સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા દ્વારા આચાર્યશ્રી ડૉ.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ ઉદિશા અને પ્લેસમેન્ટ વિભાગ અને એન.એસ.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.14-08-2023ના રોજ લશ્કરી ભરતી અંગે માર્ગદર્શન અને મોટીવેશનલ વ્યાખ્યાન વિરોને વંદન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમમા આર્મી ડેવલપમેન્ટ ઓફીસર કેતનભાઈ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, આપણા દેશની સેના અને સુરક્ષા કર્મીઓ આપણા દેશ માટે કેટલું સમર્પણ કરે છે અને ગમે તેવી પરિસ્થિતિ હોય તેમાં ખડે પગે રહી દેશની રક્ષા કરે છે.



તેમના જાત અનુભવેલા કિસ્સાઓ તેઓએ વર્ણવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે આર્મીમાં જોડાવા માટે કેટલી તૈયારી કરવી પડે અને કેવી રીતે તૈયારી કરવાની તેની ટીપ્સ તેઓએ વિધ્યાર્થીઓને આપી હતી. સાથે જ દેશની સેવામાં જોડાવા માટે આહવાન કર્યુ હતુ. કોલેજના આચાર્યશ્રી ડૉ.યુ.કે.ગાંગુર્ડે દ્વારા પણ સદર કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. એન.એસ.એસ. વિભાગ દ્વારા “વિરોનું વંદન” કાર્યક્રમ હેઠળ આપણા દેશની રક્ષા કરતા વિરોને પુષ્પ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આપણા શહીદ થયેલા વિરોને પણ યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર કોલેજના 70 જેટલા વિદ્યાર્થી ભાઈઓ અને કોલેજનો સ્ટાફ જોડાયો હતો. તેમજ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડૉ.દિલપીભાઈ ગાવિત દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application