Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતનાં પ્રતિબંધને કારણે વિશ્વભરમાં ચોખાનાં ભાવમાં ઉછાળો

  • September 25, 2023 

ચોખાની નિકાસ પર ભારતના પ્રતિબંધને કારણે વિશ્વભરમાં તેના ભાવમાં ઉછાળો આવ્યો છે જેને પરિણામે એશિયા તથા આફ્રિકા વિસ્તારમાં રાજકીય અનિશ્ચિતતા તથા સામાજિક અસંતોષનું જોખમ ઊભું થયું છે. ચોખાની નિકાસ પરના પ્રતિબંધ બાદ તેના વૈશ્વિક ભાવ હાલમાં પંદર વર્ષની ટોચે બોલાઈ રહ્યા છે. ચોખાના વૈશ્વિક વેપારમાં ચાલીસ ટકા હિસ્સો ભારતનો છે. પૂરવઠો ખોરવાઈ જવાને કારણે અનેક દેશોમાં અન્ન સલામતિનો પ્રશ્ન પણ ઊભો થયો છે, એમ યુનાઈટેડ નેશન્સની એજન્સીના રિપોર્ટમાં જણાવાયું હતું.



વિશ્વના પચાસ ટકા લોકોનો ચોખા મુખ્ય ખોરાક છે. 2008માં જ્યારે ચોખાની વૈશ્વિક કટોકટી ઊભી થઈ હતી ત્યારે, 10 કરોડ લોકો સામે જોખમ ઊભા થયા હતા. જેમાં મોટાભાગની અસર આફ્રિકા વિસ્તારમાં જોવા મળી હતી. અગાઉ પણ અનાજની અછતથી અશાંતિનું વાતાવરણ જોવા મળ્યું છે. ઘઉં કરતા પણ ચોખા અન્ન સલામતિ માટે મોટી ચિંતા બની શકે છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ચોખાની આયાત પર નિર્ભર રહેતા આફ્રિકાના કેટલાક દેશોમાં ઊંચા ભાવની અસર જોવા મળવાનું શરૂ થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application