Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાવનગરનાં વલ્લભીપુર પંથકમાં પડેલ ધોધમાર વરસાદને પગલે ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ

  • July 07, 2024 

ભાવનગરનાં વલ્લભીપુર પંથકમાં પડેલ ધોધમાર વરસાદને પગલે ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેના કારણે દેવળીયા-પાળિયાદથી માઢીયા વચ્ચે આવેલો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો હતો. શનિવારે સાંજ સુધી કોઝ-વે પરથી પાણી પસાર થઈ રહ્યું હતું જેના કારણે પાળિયાદ-દેવળિયાથી માઢિયા જવાનો રસ્તો બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. વલ્લભીપુરમાં સાંજે પડેલા ધોધમાર 4 ઇંચ વરસાદને પગલે ઘેલો નદીમાં ધસમસતી પાણીની આવક થઈ હતી અને નદી બે કાંઠે વહેતી થઈ હતી.


ઘેલો નદી બે કાંઠે વહેતી થવાના લીધે પાળિયાદ-દેવળીયાથી માઢિયા જવાનો રસ્તો બંધ થયો હતો. જયારે ગતરોજ સાંજ સુધી રસ્તો બંધ રહેતા પાળિયાદ-દેવળીયા-માઢિયા થઈને ભાવનગર આવવાનો વાહન-વ્યવહાર ખોરવાયો હતો. જેથી ભાવનગર આવવા-જવા માટે વાહન ચાલકોને ચમારડી પરનો લાંબો રૂટ લેવાની ફરજ પડી હતી. માઢિયા ગામના સરપંચના જણાવ્યા અનુસાર શનિવારે બપોર સુધી પણ હજુ પાણીનો પ્રવાહ શરૂ હોવાથી રસ્તો બંધ હતો. ઉપરવાસમાં વરસાદ શરૂ રહેશે તો આગામી દિવસોમાં આ પંથકના ખેતરોમાં પાણી ભરાઈ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, ઉમરાળા પંથકમાં પણ સારા વરસાદના પગલે કાળુભાર નદી પણ બે કાંઠે વહી હતી. ઘેલો અને કાળુભાર નદી બે કાંઠે વહેતા આ નદીઓના તળ વિસ્તારમાં આવતા વિસ્તારના ગામો અને ખેતરોમાં પાણી ભરાવાની વકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application