ગુજરાત રાજ્યમાં ખ્રિસ્તી ધર્મમાં જે લગ્ન ચર્ચમાં થતા ન હોય તે લગ્નો ફરિયાદી તેઓની નોંધણી રજીસ્ટ્રારની કચેરી ખાતે કરાવતા હોય અને કરાવેલ લગ્નનું નોંધણી પ્રમાણપત્ર નોંધણી સરનીરીક્ષકની કચેરી,સ્ટેમ્પ અને નોંધણી ભવન, સેક્ટર-૧૪,ગાંધીનગર ખાતે જમા કરાવી સરકારી રજીસ્ટરમાં કાયદેસરની નોંધણી કરાવી,તેની સર્ટીફાઇડ નકલ મેળવવાની હોય છે.
જેમાં લાંચિયા ક્લાર્કએ ફરિયાદીના કરાવેલ કુલ ૩૩ લગ્નોની નોંધણીની સર્ટીફાઇડ નકલ આપવાના એક નકલ દીઠ રૂ.૧૦૦/- લેખે રાઉન્ડ ફીગર રૂ.૩,૫૦૦/- રૂપિયા નક્કી કરેલ જેમાં અગાઉ ફરિયાદી પાસેથી રૂ.૧,૦૦૦/- લાંચિયા ક્લાર્કએ પ્રિ-રેકોર્ડીગ સમયે લીધેલ અને બાકીના રૂ.૨,૫૦૦/- આપવાના બાકી હોય, ફરિયાદી આ લાંચના નાણાં આપવા માગતા ન હોય,
એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતાં લાંચના છટકા દરમ્યાન રૂ.૨,૫૦૦/-ની લાંચ સ્વીકારતા કલ્પેશ ઇશ્વરભાઇ વાઘેલા આબાદ ઝડપાઇ ગયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500