Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહન ચાલકે દંપતિને અડફેટે લેતાં પત્નિનું મોત, પતિ ઈજાગ્રસ્ત

  • May 25, 2022 

ચિલોડા નરોડા હાઇવે પરથી પસાર થતું પાલજ ગામનુ દંપતી ચાંદખેડા જવા નીકળ્યું હતુ. ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા પત્નિનું મોત થયુ હતુ. જ્યારે પતિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ અંગે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અનિલ જશુજી ઠાકોર (રહે.પાલજ ગામ, રામપુરા) પરિવાર સાથે રહે છે અને ગામમા જ આવેલી ફેબ્રિકેશનની કામગીરી કરી પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યો છે.




જોકે, પતિ-પત્નિ બાઇક ઉપર ચાંદખેડા જવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન આશરે 6 વાગ્યાના અરસામા વલાદ બ્રિજ પાસે અકસ્માત થયો હતો. જયારે અકસ્માતની જાણ થતાં કાકા અને ભત્રિજો બંને જણા વલાદ બ્રિજ તરફ જવા માટે નિકળ્યા હતા. જ્યાં પહોંચીને જોતા બાઇક રોડ સાઇડમાં પડ્યુ હતુ. જ્યારે માતા કાંતાબેન બાઇકની પાસે મૃત હાલતમા પડેલા જોવા મળ્યા હતા.



તે દરમિયાન મારા બનેવી ભલાજી પણ ત્યા આવી પહોંચ્યા હતા. જેમણે મારા પિતાજીને સારવાર માટે 108ની મદદથી ગાંધીનગર સિવિલમા મોકલવામા આવ્યા હતા. જ્યાં તબિયત વધારે ખરાબ થતા અમદાવા હોસ્પિટલ ખાતે રીફર કરવામા આવ્યા હતા. બનાવ અંગેની જાણ ડભોડા પોલીસ મથકે કરવામા આવતા પોલીસે અજાણ્યા વાહન સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application