Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બંધ મકાન માંથી દાગીના અને રોકડ રકમની ચોરી થતા પોલીસ ફરિયાદ

  • August 25, 2021 

ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડાની કેસર રેસીડેન્સીમાં તસ્કર ટોળી ત્રાટકી હતી અને બંધ મકાનનો નકુચો તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 2.73 લાખની ચોરી કર્યાનો બનાવ સામે આવતા પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

   

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોલવડાની કેસર રેસીડેન્સીમાં ગત તા.21 ઓગસ્ટની રાત્રીએ તસ્કર ટોળી ત્રાટકી હતી જેમાં કેસર રેસીડેન્સીમાં રહેતા અને સોના-ચાંદીનો વ્યવસાય કરતાં રાજેશભાઈ  કનૈયાલાલ સોની સાંજે મકાન બંધ કરીને પરિવાર સાથે માણસા રક્ષાબંધન ઉજવવા માટે ગયા હતા. તે સમય દરમિઆન તસ્કરોએ બંધ મકાનનો નકુચો તોડીને તેમાં પ્રવેશ કર્યો હતો અને બેડ રૂમની તિજોરી તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 2.73 લાખની ચોરી કરી ભાગી છુટ્યા હતા. જયારે ગતરોજ સવારના સમયે મકાન માલિક ઘરે પહોંચ્યા ત્યારે મકાનનો દરવાજો ખુલ્લી  હાલતમાં જોયો હતો અને અંદર જઈને તપાસ કરતાં સામાન વેરવિખેર હાલતમાં હતો. જેથી ચોરી થયાનો અંદાજ આવી ગયો હતો જેથી આ બનાવ અંગે પેથાપુર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને રાજેશભાઈ સોનીના ફરીયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application