Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર : પેથાપર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં મોત

  • November 17, 2023 

ગાંધીનગર પાસે રાંધેજા પેથાપર હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ, કારમાં કુલ છ લોકો સવાર હતા. જેમાં પાંચ લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે અને ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે, કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હતા.



અકસ્માત અંગે પેથાપુર પોલીસે ગુનાની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમવતા આ અક્સ્માત થયો હતો. કાબુ ગુમાવતા જ કાર ઝાડ સાથે અથડાઈ જેના કારણે કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. આ 6 વ્યક્તિ પેથાપુર મૂવી ગયા હતા. મૂવી જોઈને પરહાપુરથી માણસા જતી વખતે તેમને આ અકસ્માત નડ્યો હતો. પાંચ મૃતક વ્યક્તિમાં મોહંમદ અલ્ફાઝ, સલમાન ચૌહાણ, સાહિલ ચૌહાણ, મોહંમદ બેલીમ, અસ્ફાક ચૌહાણની ઓળખ થઇ છે અને એક ઈજાગ્રસ્ત વ્યક્તિની શાહનવાબ ચૌહાણ તરીકે ઓળખ થઇ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application