Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Crime : યુવકને લૂંટી લીધા બાદ ઢોર મારમારતા મોત, પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી

  • August 07, 2022 

અમદાવાદનાં મેઘાણી નગરમાં ત્રણ દિવસ પહેલા એક યુવકની લાશ મળી હતી, જોકે પીએમ રિપોર્ટમાં બ્રેન હેમરેજથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું, જયારે પોલીસ તપાસમાં ચાર શખ્સોએ યુવકને લૂંટી લીધા બાદ ઢોર માર મારતા મોત થયું હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કુબેરનગર પાસે હરજીવનદાસની ચાલીમાંથી ત્રણ દિવસ પહેલા યુવકની લાશ મળી હતી.




જોકે પોલીસે પીએમ કરાવતા બ્રેન હેમરેજથી મોત થયું હોવાનો ખુલાસો થયો હતો જયારે બાતમીનાં આધારે તપાસ કરતાં મૃતક યુવક મેઘાણીનગર રામેશ્વર પાસે જય ખોડિયારનગરમાં રહેતા રામકુમાર ઇન્દ્રદેવસિંહ ભુમીયાર (ઠાકુર, ઉ.વ.39) ગત તા.3 નાંરોજ ચાલતો ચાલતો તિર્થરાજ સોસાયટી પાસેથી પસાર થતો હતો.




તે સમયે સાહિલ સાલવાની તથા બંગલા એરિયામાં મીનાક્ષી ફેલટમાં રહેતો જતીન લેખરાજ જાગવાણી તથા સુનિલ યાદવ અને મયુર સિંધી ચાર શખ્સોને પાર્ટી કરવાની હોવાથી રૂપિયા માટે લૂંટનો પ્લાન બનાવ્યો હતો, જયારે આરોપીઓએ યુવકને પકડીને તેના ખિસ્સામાં પર્સમાંથી રૂપિયા 900 તથા મોબાઇલ લૂંટી લીધો બાદમાં દોરો તોડવાનો પ્રયાસ કરતા યુવક ભાગ્યો હતો તેનો પીછો કરતાં તે દિવાલ પર ચઢી ગયો હતો. જ્યાં આરોપીઓએ પણ ત્યાં મારમારીને નીચે ફેંકી દીધો હતો જેથી મોત નીપજયું હતું. પોલીસે સાહીલ સિવાય ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application