Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : દાંડી ખાતે ગાંધી ભજન કાર્યક્રમ યોજાયો

  • February 01, 2024 

દાંડી ખાતે ગાંધી ભજન કાર્યક્રમ યોજાયો જલાલપોર તાલુકાના ઐતિહાસિક દાંડી ગામના રાષ્ટ્રિય મીઠા સત્યાગ્રહ સ્મારક ખાતે પ્રવાસન વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજીત ગાંધી નિર્વાણ દિન તેમજ સ્મારકને પાંચ વર્ષ પૂર્ણ થતા ગાંધી ભજન કાર્યક્રમ યોજાયો હતો. શહીદ દિવસ નિમિત્તે સ્મારકમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુત્તરની આંટી પહેરાવીને ૧૧:૦૦ કલાકે ૨ મિનીટનું મૌન સ્મારકના સેવકભાઇ બહેનો અને પ્રવાસીઓ દ્વારા રાખવામાં આવ્યું. સાંજના ૪-૦૦ કલાકે સુરતના જાણીતા બેન્ડ બી સ્ક્વેરના ગૃપ દ્વારા કલાકારો અને તેની ટીમે ગાંધી ભજન તેમજ દેશભક્તિના કાર્યક્રમમાં પ્રવાસીઓ તેમજ સ્મારકના સેવક ભાઈ-બહેનો, સરપંચશ્રી દાંડી, પી.આઈ.જલાલપોર, ગ્રામજનો જોડાયા હતાં. કાર્યક્રમમાં રાષ્ટ્રિયગીતથી સમાપન બાદ આભાર દર્શન ડો.કાળુભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application