Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિધરપુરાના સાસ્વત જવેલર્સ સાથે રૂપિયા ૪૪.૭૦ લાખની છેતરપિંડી

  • December 25, 2020 

મહિધરપુરા કંસારા શેરીમાં આવેલ સાસ્વત જવેર્લસ પ્રા,.લીમાંથી બિહારના અગ્રવાલ પિતા-પુત્રઍ ઉધારમાં રૂપિયા ૪૪.૭૦ લાખનો હીરા અને જવેલરીનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી ઠગાઈ કરી હતી. બિહારમાં તપાસ માટે ગયેલી પોલીસને અગ્રવાલ પિતા-પુત્રઍ પોતાનું મકાન ખાલી કરી ગયા હોવાની સાથે અન્ય રાજયના જવેલર્સ સાથે પણ ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે.

 

 

 

બનાવ અંગે મહિધરપુરા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ નાનપુરા ટીમલીયાવાડ સિધ્ધશીલા ઍપાર્ટમેન્ટમાં રહેતા ધીરજભાઈ ડાહ્નાભાઈ શાહ(ઉ.વ.૪૨) મહિધરપુરા કંસારા શેરીમાં આવેલ સાસ્વત જવેલર્સ પ્રા.લી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ધીરજભાઈની દુકાનમાંથી બિહારના પટના બુધ્ધા માર્ગ વાઈટ હાઉસ ખાતે અગ્રવાલ બ્રધર્સ નામની કંપની ધરાવતા પંકજ અગ્રવાલ અને તેના પિતા ચાંદ બિહારી અગ્રવાલે ફેબ્રુઆરી ૨૧૦૭માં શરુઆતમાં ઉધારમાં હીરા અને જવેલરીનો માલ ખરીદ્યો હતો અને તેનું સમયસર પેમેન્ટ ચુકવી આપી વિશ્વાસ કેળવ્યો હતો ત્યારબાદ અગ્રવાલ પિતા-પુત્રઍ સન ૨૦૧૮માં  અલગ અલગ ચાર વીલછી કુલ રૂપિયા ૪૪,૭૦,૨૩૯નો કલર સ્ટોન સાથેના હીરા અને જવેલરીનો માલ ખરીદ્યો હતો નક્કી કરેલ સમયમર્યાદામાં પેમેન્ટ નહી કરતા ધીરજભાઈ દ્વારા ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ ચુકવી આપવાના ખોટા વાયદાઓ કર્યા બાદ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતુ. ધીરજભાઈે ખ્યાલ આવી ગયો કે અગ્રવાલ પિતા-પુત્રઍ તેમની સાથે ઠગાઈ કરી છે જેથી ફરિયાદ નોધાવી હતી, પોલીસે ધીરજભાઈની ફરિયાદને આધારે અગ્રવાલ પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી પીઍસઆઈ ડી.ડી.ચૌહાણ સ્ટાફના માણસો સાથે તપાસમાં બિહાર ગયા છે. પોલીસની તપાસમાં આરોપી અગ્રવાલ પિતા-પુત્રઍ પોતાનું મકાન વેચી નાસી ગયા છે અને તેમના ઘરે અન્ય રાજયના અલગ અલગ શહેરોમાંથી પણ ઉઘરાણી માટે વેપારીઓ આવતા હોવાનુ બહાર આવ્યું હતું.(ફાઈલ ફોટો)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application