Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝારખંડમાં મધમાખીનાં કરડવાથી એક જ પરિવારનાં ચાર લોકોનાં મોત નિપજયાં

  • September 24, 2024 

ઝારખંડના રાંચીથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. અહીં મધમાખીનાં કરડવાથી એક જ પરિવારના ચાર લોકોનાં મોત થઈ ગયા છે. આ ઘટના તુપુદાન પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાની માહિતી મળી રહી છે. મૃતકોમાં એક મહિલા અને ત્રણ બાળકો સામેલ છે. આ ઘટના તારીખ 21 સપ્ટેમ્બરના રોજ ઘટી હતી. પીડિતાના પતિ સુનિલ બારલાએ જણાવ્યું કે, મારી પત્ની બાળકો સાથે પિયર હઈ હતી. આ દરમિયાન આ ઘટના ઘટી. મહિલા ખૂંટી જિલ્લાના કર્રા બ્લોકના કોસંબી ગામની રહેવાસી હતી.


પતિએ જણાવ્યું કે, મારી પત્ની તુપુદાન પોલીસ સ્ટેશન વિસ્તારની હરદાગ ગઢા ટોલી વિસ્તારમાં સ્થિત પોતાના પિયર ગઈ હતી. શનિવારે તેઓ એક કૂવા પાસે સ્નાન કરવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક મધમાખીના ઝૂંડે તેમના પર હુમલો કરી દીધો હતો. આ મધમાખીના હુમલામાં ચારેયના મૃત્યુ થઈ ગયા છે. મારી પત્ની પોતાના બાળકો અને ગામના કેટલાક અન્ય લોકો સાથે કૂવા પર સ્નાન કરવા ગઈ હતી. તેઓએ સ્નાન કરવાનું શરૂ કર્યું અને અચાનક મધમાખીના ઝૂંડે તેમના પર હુમલો કરી દીધો. મધમાખીના ઝૂંડે હુમલો કરતા જ લોકોમાં અફરા-તફરી મચી ગઈ. લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા. પરંતુ મહિલા અને બાળકો ફસાય ગયા અને મધમાખીના ઝૂંડના હુમલામાં ચારેયના મોત થઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application