Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહીસાગર નદીમાં ડૂબી જતાં ચાર લોકોનાં કરુણ મોત નિપજ્યા

  • June 07, 2024 

આણંદ પાસેના ગામડી ગામના ચાર વ્યક્તિ ખંભોળજ નજીક આવેલ ખાનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ડૂબી જતા તેઓના કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આણંદ પાસેના ગામડી ગામે રહેતા પારિવારિક સભ્યો સમી સાંજના સુમારે આણંદ જિલ્લાના ખંભોળજ નજીક આવેલ ખાનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નાહવા માટે ગયા હતા.


દરમિયાન બે મહિલા સહિત ચાર વ્યક્તિઓ અચાનક જ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેને લઇ આસપાસના અન્ય વ્યક્તિઓ બુમાબૂમ કરી મૂકી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક તરવૈયાઓ તુરત જ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીમાં ડૂબકી લગાવી પાણીમાંથી બે મહિલા સહિત ચાર વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢયા હતા. આ ઘટનાને લઇ અન્ય પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. આ ઘટનાની જાણ ખંભોળ જ પોલીસને થતા પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ચારેય મૃતકોના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સારસાની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News