Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પંજાબમાં ઘઉંની આવક ઘટવાને પગલે તારીખ 5 મેથી તબક્કાવાર ખરીદી બંધ કરાશે

  • May 04, 2022 

પંજાબના બજારોમાં ઘઉંની આવકમાં ભારે ઘટાડો આવતા ખાદ્ય, નાગરિક પુરવઠો અને ઉપભોક્તા વિભાગે રાજ્યના બજારોમાં પાકની ખરીદી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ખાદ્ય, નાગરિક પુરવઠો અને ઉપભોક્તાના મંત્રી લાલ ચંદ કટારુચકે મંગળવારે કહ્યુ કે, રાજ્યના બજારોમાં તબક્કાવાર રીતે તા.5 મે થી ઘઉંની ખરીદી બંધ કરાશે. આ બાબતે સૂચના પંજાબ બજાર બોર્ડ દ્વારા આપવામાં આવશે. તેમણે ખરીદની ગતિ અને એમએસપીના સીધા ખેડૂતોના બેંક ખાતામાં ઝડપથી વિતરણ પર સંતોષ વ્યક્ત કર્યો.



તેમણે કહ્યુ, આ ખરાબ મોસમથી ઉત્પન્ન પડકારો છતાં જેના પરિણામ સ્વરૂપ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ઘઉં સંકોચાઈ ગયા હતા. તેમણે કહ્યુ કે વૈશ્વિક સ્તરે ઘઉંની કિંમતમાં વધારો થયા બાદ, મોટા ભાગના રાજ્યોમાં ઘઉંની સરકારી ખરીદીમાં ભારે ઘટાડો જોવા મળ્યો, પરંતુ કેન્દ્રીય પુલમાં ઘઉંના સૌથી મોટા પ્રમાણમાં યોગદાન આપવામાં પંજાબે એકવાર ફરી દેશનુ નેતૃત્વ કર્યુ. તેમણે કહ્યુ કે, રાજ્યએ અત્યાર સુધી 93 લાખ ટન કરતા વધારે ઘઉંની ખરીદી કરી છે.



રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરાષ્ટ્રીય બજારમાં ઘઉંની માંગમાં વૃદ્ધિ થઈ છે અને અંગત વેપારી ઘઉંની વધારે ખરીદી કરી રહ્યા છે. સંકોચાયેલા દાણા માટે માનદંડોમાં ઢીલ આપવામાં મોડાઈ વિશે તેમણે કહ્યુ કે કેન્દ્રીય ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગે સમસ્યાની સીમાની જાણકારી માટે અધિકારીઓની એક અન્ય ટીમ મોકલવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં પહેલા 132 લાખ ટન ઘઉં ખરીદીનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application