Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત હાઈકોર્ટનાં આદેશ બાદ મ્યુનિ.તંત્ર દ્વારા અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચાલતા આનંદ મેળાને બંધ કરાવ્યો

  • June 07, 2024 

ગુજરાત હાઈકોર્ટનાં આદેશ બાદ મ્યુનિ.તંત્ર દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચાલતા આનંદ મેળાને બંધ કરાવ્યો હતો. આનંદ મેળાનાં આયોજક દ્વારા હાઈકોર્ટમાં કરવામા આવેલી અરજીની સુનાવણી બાકી હોવા છતાં ફરીથી આનંદમેળો શરૂ કરી દેતા મ્યુનિ.તંત્રે સ્થળ ઉપર સીલ મારી આનંદમેળો બંધ કરાવવાની ફરજ પડી હતી. રાજકોટ ખાતે બનેલા અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજયમાં તમામ ગેમઝોન, આનંદમેળા બંધ કરાવવા બંધ કરાવવાનો આદેશ આપ્યો હતો.


આ આદેશના પગલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એન.આઈ.ડી.પાસે ચાલતા આનંદ મેળાને પણ રિવરફ્રન્ટ તંત્ર દ્વારા બંધ કરાવવામા આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટમાં આયોજક તરફથી આનંદમેળા માટે જરુરી તમામ મંજુરી લેવામા આવી હોવા છતાં કયા કારણથી આનંદ મેળો બંધ કરાવવામા આવ્યો તે સંદર્ભમા અરજી કરી આનંદમેળો ફરી શરુ કરવા દાદ માંગવામા આવી હતી. જેની સુનાવણી હજુ બાકી છે.દરમિયાન સંચાલક દ્વારા બુધવારે ફરીથી આનંદમેળો શરુ કરવામા આવતા મ્યુનિ.તંત્રને આ બાબતની જાણ થતા ગુરુવારે સ્થળ ઉપર સીલ મારી આનંદમેળો બંધ કરાવી દીધો હતો. આ આનંદમેળો વકીલ અહેમદ નામના સંચાલક દ્વારા ચલાવવામા આવતો હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News