Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારામાં તીર્થયાત્રીઓને લઈ જતી ખાનગી બસને અકસ્માત નડ્યો, આ અકસ્માતમાં પાંચના મોત

  • February 03, 2025 

રાજ્યના ડાંગ જિલ્લાના સાપુતારામાં રવિવારે વહેલી સવારે તીર્થયાત્રીઓને લઈ જતી એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેના બાદ આ બસ ખીણમાં ખાબકી જતાં 5 શ્રદ્ધાળુઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 17 જેટલાં લોકો ગંભીર રીતે ઘવાયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પોલીસ સાપુતારામાં આ દુર્ઘટના વહેલી સવારે 4:15 વાગ્યે થઈ હતી.


સાપુતારા હિલ સ્ટેશન નજીક બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકી ગઇ હતી. આ બસમાં 48 તીર્થયાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ બેરિકેડ તોડીને 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.  આ અકસ્માતમાં પાંચ તીર્થયાત્રીઓ મૃત્યુ પામી ગયા હતા જ્યારે 17ની હાલત ગંભીર જણાવાઈ રહી છે. જેમને આહવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે કેટલાક અન્ય એવા મુસાફરો પણ હતા જેમને સામાન્ય ઈજાઓ થઇ હતી. મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વરથી 48 તીર્થયાત્રીઓને લઈને બસ દ્વારકા જઈ રહી હતી તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં મધ્યપ્રદેશના ગુના, શિવપુરી અને અશોકનગરના રહેવાશીઓ સામેલ હોવાનું ખુલ્યું હતું અને મૃતકમાં બે મહિલા અને ત્રણ પુરુષો સામેલ હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application