Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જબલપુર શહેરની ન્યૂ લાઇફ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ, પાંચથી વધુ લોકોના મોત

  • August 02, 2022 

મધ્યપ્રદેશના જબલપુર શહેરની ન્યૂ લાઇફ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગવાને કારણે દોડધામ મચી હતી. જાણવા મળી રહ્યું છે કે આ આગમાં સળગી જવાથી પાંચ લોકોના મોત થયા છે. આ આગમાં ઘણા લોકોને ઈજા પહોંચી છે.




પ્રાપ્ત માહિતી પ્રમાણે આ આગમાં 10 લોકો જીવતા સળગી ગયા છે.અન્ય લોકો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. મહા મહેનતે ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો છે.આગ લાગવાથી હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી તે પણ કહેવામાં આવી રહ્યું છે કે આશરે 7 લોકોના મૃતદેહ હોસ્પિટલમાંથી કાઢવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં કેટલા દર્દી દાખલ હતા તેની જાણકારી હજુ મળી નથી. આ હોસ્પિટલમાં આશરે 100 લોકોનો સ્ટાફ છે. પરંતુ કુલ કેટલા મોત થયા છે તેની હજુ ચોક્કસ માહિતી સામે આવી નથી.




કહેવામાં આવી રહ્યું છે કે હજુ મૃત્યુઆંક વધી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટનાની માહિતી ત્યારે સામે આવી જયારે કેટલાક લોકો દમોહ ચોકથી નિકળી રહ્યાં હતા અને હોસ્પિટલમાં આગ જોઈ. લોકોએ તે સમયે હોસ્પિટલમાંથી અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ પોલીસ અને ફાયર બ્રિગેડને માહિતી આપવામાં આવી. આગ એટલી ભયાનક હતી કે જ્યારે ફાયર અને પોલીસની ટીમ પહોંચી ત્યારે ચારે તરફ ફેલાય ગઈ હતી. આ દુર્ઘટના પર રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કર્યું, 'રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને ગંભીર રૂપથી ઈજાગ્રસ્તને 50-50 હજાર રૂપિયાની સહાયતા આપવામાં આવશે. ઈજાગ્રસ્તોની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે.'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application