Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આખરે ચૂંટણી પ્રચાર વચ્ચે પીએમ મોદી લગ્નમાં શા માટે હાજરી આપશે ? વિગતવાર જાણો

  • November 06, 2022 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની મધ્યમાં એક લગ્ન સમારોહમાં ભાગ લેશે. આ સમૂહ લગ્નનો કાર્યક્રમ હશે,જેમાં એકસાથે 500 કન્યાઓના લગ્ન કરવામાં આવશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો,પીએમ મોદી તેમની પ્રથમ અને એકમાત્ર એક દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન આ કાર્યક્રમનો ભાગ હશે.


આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે ભાજપના ચૂંટણી પ્રચાર અને તેમના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ પીએમ શા માટે લગ્ન સમારોહનો ભાગ બનશે. જવાબ એ છે કે જે પણ છોકરીઓ લગ્ન કરી રહી છે તેઓએ તેમના પિતા ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં પીએમ મોદી પોતે 'પાપાની પરી લગ્ન ઉત્સવ સમારોહમાં પહોંચીને છોકરીઓને આશીર્વાદ આપશે.વડાપ્રધાન મોદી એ જ દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાત લેશે. તેઓ કપરાડામાં એક સભાને સંબોધશે.ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યની આ તેમની પ્રથમ મુલાકાત હશે. જો કે ચૂંટણીની તારીખો આવે તે પહેલા તેઓ ઘણી વખત ગુજરાત આવી ચૂક્યા છે. આ મુલાકાતો દરમિયાન પીએમએ હજારો કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ તેમજ ઉદ્ઘાટન કર્યું હતું.



ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે.બહુમત માટે 92 સીટોની જરૂર છે.2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. 6 બેઠકો અપક્ષ અને અન્યના ફાળે ગઈ હતી. જો આપણે રાજ્યની બેઠકોના વિસ્તાર પ્રમાણે જોઈએ તો મધ્ય ગુજરાતમાં 68,સૌરાષ્ટ્ર અને કચ્છમાં 54,ઉત્તર ગુજરાતમાં 32 અને દક્ષિણ ગુજરાતમાં 28 બેઠકો છે.આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાના મતદાનની તારીખ 1 ડિસેમ્બર અને બીજા તબક્કાના મતદાન માટે 5 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ અને પેટાચૂંટણીની સાથે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મક્કમતાથી ચૂંટણી મેદાનમાં છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News