Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રશિયાની જેલમાં કેદીઓ વચ્ચે થયેલ ભીષણ અથડામણમાં આઠ લોકોના મોતથી ખળભળાટ મચી

  • August 25, 2024 

રશિયાની જેલમાં કેદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં આઠ લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. મૃતકોમાં ચાર જેલ કર્મચારીઓનો પણ સામેલ છે. આ હિંસા રશિયાના વોલ્ગોગ્રાડ ક્ષેત્રમાં હાઈ સિક્યોરિટીવાળી IK-19 સુરોવિકિનો પીનલ કોલોનીમાં થઇ હતી. માહિતી મુજબ કેદીઓના એક જૂથે હિંસક બળવો કર્યો હતો. છરીઓથી સજ્જ આ કેદીઓ ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. તેમણે કેટલાક કેદીઓને બંધક બનાવ્યા અને જેલના એક ભાગ પર કબજો કરી લીધો હતો.


હુમલાખોરોએ દાવો કર્યો હતો કે, અમે મુસ્લિમો પર થયેલા અત્યાચારનો બદલો લેવા માટે આવું કર્યું હતું. એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે આ અથડામણ એવા સમયે થઇ જ્યારે એક નિયમિત ડિસિપ્લિન બેઠક યોજાઈ હતી. આ બેઠકની વચ્ચે જ કેદીઓના એક સમૂહે હુમલો કરી દીધો હતો. હુમલાખોરોની ઓળખ રામજિદિન તોશેવ, રુસ્તમચોન નવરુજી, નજીરચોન તોશોવ અને તૈમૂર ખુસિનોવ તરીકે થઇ હતી. ઉઝ્બેકિસ્તાન અને તાજિકિસ્તાનના આ ચારેય લોકોએ ચપ્પાં વડે હુમલો કર્યો હતો. હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે અનેક લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News