Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુન્હેગારો બેખૌફ બન્યા : વ્યારામાં ધોળેદહાડે દુકાનદાર ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો

  • November 24, 2021 

વ્યારામાં ધોળેદહાડે એક દુકાનદાર ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવતા દુકાનદારને ગંભીર હાલતમાં સારવાર અર્થે જનરલ હોસ્પિટલ-વ્યારા ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે હુમલાખોરો નાશી છુટ્યા હતા જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


મળતી માહિતી અનુસાર વ્યારાના સયાજી સર્કલ પાસે ચા ની દુકાન ચાલવતા દુકાનદાર મહેશભાઈ રામપ્રારે મિશ્રા આજરોજ બપોર ના અરસામાં પોતાની દુકાન પર હતા તે દરમિયાન આવેલા કેટલાક અજાણ્યા ઈસમોએ અચાનક મહેશ મિશ્રા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જોકે હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. દુકાનદાર ઉપર ધોળેદહાડે કરવામાં આવેલ જીવલેણ હુમલો તે પણ પોલીસ મથકની બિલકુલ નજીક બનેલી આ ઘટનાને કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

જોકે વ્યારા પોલીસને ઘટનાની જાણ થતા સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ જીવલેણ હુમલામાં દુકાનદાર મહેશભાઈને ગંભીર ઈજા પહોંચતા નજદીકની જનરલ હોસ્પિટલ-વ્યારા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, મહેશભાઈ મિશ્રાના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે મગદુમનગરના કેટલાક માથેભારે ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું,જોકે  હુમલો કરવા પાછળનું કારણ શું હતું ?? તે તો પોલીસ તપાસમાં જ જાણવા મળશે. હાલ હુમલાખોરો પોલીસ પકડથી દુર છે જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application