Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે ખેડૂતોનું ભારત બંધ : બપોરે 3 વાગ્યા સુધી રહેશે ચક્કા જામ

  • December 08, 2020 

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. ખેડૂતોના ભારત બંધને કોંગ્રેસ સહિત દેશના 10થી વધુ રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. ભારત બંધને લઈને વિભિન્ન રાજકીય પક્ષોના સમર્થનનું ખેડૂતોએ સ્વાગત કર્યું છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમનો મંચ રાજકીય પાર્ટીઓ માટે નહીં હોય. આ બાજુ કેન્દ્ર સરકારે ભારત બંધને લઈને રાજ્ય સરકારોને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાના દિશા નિર્દેશ આપ્યા છે. 

 

 

 

 

ખેડૂત નેતાઓએ કહ્યું કે સમગ્ર દેશમાં મંગળવારે સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ચક્કા જામ રહેશે. જો કે આંદોલન કરી રહેલા ખેડૂતોએ એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વ્યક્તિ પર જોર જબરદસ્તી કે ધક્કા મુક્કી કરવામાં નહીં આવે. ખેડૂત નેતાઓએ અપીલ કરી છે કે ભારત બંધને દરેક જણ પોતાનું સમર્થન આપે. અત્રે જણાવવાનું કે ભારત બંધ દરમિયાન તમામ ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. 

 

 

 


કેન્દ્રના રાજ્યોને નિર્દેશ

પ્રદર્શનકારી ખેડૂતોના ભારત બંધને લઈને કેન્દ્ર સરકારે રાજ્યોને દિશા નિર્દેશ જારી કર્યા છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે ખેડૂત સંગઠનો અને તેમના સમર્થનમાં વિપક્ષી દળો દ્વારા અપાયેલા ભારત બંધ દરમિયાન સુરક્ષા કડક કરવામાં આવે અને શાંતિ સુનિશ્ચિત કરવામાં આવે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બહાર પાડેલા દેશવ્યાપી એડવાઈઝરીમાં કહ્યું કે રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસકોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોવિડ-19 દિશાનિર્દેશોનું પાલન થાય અને સામાજિક અંતર જાળવવામાં આવે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application